[નોંધ: પટેલ કેમ આગળ આવ્યા એના માટેનો આ સરસ લેખ છે. આ લેખ માં કોઈ પણ જ્ઞાતિ-જાતિ વિષે કઈ ભેદભાવ કરવામાં આવેલ નથી…]
આ લેખનું શીર્ષક પરસેવાની કમાઈ એવું આપ્યું છે અને આજે વાત પણ એની જ કરવી છે.
આજથી ૭૦ વરસ પહેલાની પટેલના ઘરની આર્થિક સ્થિતિ, સામાજિક રિવાજો, જીવન શૈલી સંબંધોની સમરસતા અને વહેવારો જોવા જઈએ તો આજના યુવાનોને આ બધુ એક કાલ્પનિક વાર્તા જેવું લાગશે.
આખો દિવસ ખેતરમાં કામ કરતાં કરતાં સૂર્યદેવ ક્યારે ઉગ્યા અને આથમી ગયા એનીયે ખબર ખેડૂત પટેલને ના પડતી. આખોય પરિવાર ખેતી કામમાં ગળાડૂબ રહે. નાના છોકરા પણ નાનુ મોટું કામ કરી લે. બૈરા લોકોને ત્રણ ઘણું કામ હોય ઘરનાં તમામ કામ, કૂવે થી પાણી ખેચી ઘેર લાવવાનું, રસોઈ કરવી, અનાજ ઘંટીમાં જાતે દળવુ, દૂધનુ દહી બનાવી તેને મોટી ગાગર જેવડી ગોળી માં નાખી મોટી વલોણી ઉપર થી લટકાવી ગોળીના કાંઠે બેરીન્ગ આપી વલોણુ બે જણા બે હાથે બે જાડા દોરડા વડે ગોળ ગોળ ઉલટ સૂલટ ઘૂમેડે, તેમાંથી છાસ, માખણ, બને. માખણમાં થી ઘી બનાવવુ. ઉપરાત માલ – ઢોરને સાચવવાનું. ખેતરેથી ધાસ કાપી ચારો માથે ઉપાડી ઘેર લાવવો, ઢોરને ખવડાવવવો પાણી પીવડાવવું. ઢોરને આતરે દહાડે નવડાવવુ દૂધ દોહવુ, છાણ અને મૂત્ર ભેગું કરી, વાન્સના મોટા સૂંડલામા ભરી ઉકરડે નાખવા જવુ. વલોણું કયુઁ હોય તે દિવસે લાંબી લાઈનમાં ઊભેલા દરેકને મફત છાસ વહેંચવાની.
લીલો અને સૂકો દુષ્કાળ એના જીવનનો ભાગ બની ગયો હતો.
સૂકા દુષકાળમાં ખેતરમાં કાંઈ પાક્યું ન હોય તો પણ સંગ્રહ માં થી કે ઉંછી પાછી નું કરી કુટુંબ ને વર્ષ જીવાડવુ. પશુ ધનને જીવાડવા, બોરડીના કૂટા કરી કરીને પોતાના ઢોરને સાચવવા માટે પરસેવો પાડતા પટેલની, પરસેવાની કમાણીથી આજની પેઢી ઉજળી છે.
જયારે લીલો દુષ્કાળ પડે અને પુરના પાણીએ કાળો કેર વરતાવ્યો હોય ચારે બાજુ પાણી સિવાય કંઈ જ ના દેખાતુ હોય ત્યારે હિંમત અને હામ રાખી ખરા વરસાદમાં શણના કોથળાનો કૂશલો (રેઇન કોટ) બનાવી ખેતરના ઊંચાળા ભાગે શેઢા ઉપરનું ઘાસ કાપવા જતા પટેલોની હિંમતને દાદ આપવી પડે.
શરીરના ખુલ્લા ભીના ભાગે કરડતા મચ્છર અને કુત્તાની (મચ્છરથી મોટી જીવાત) વચ્ચે જીવતા. આવી કલ્પના આજના શહેરમાં રહેતા પટેલના યુવાનો ના કરી શકે.
ખરા ધોમ ધખતા ઉનાળામાં તેના નસીબમાં આરામ નહોતો લખાયો. ખેતરમાં વાડ કાંટો કરવાનું કામ , શેઢા સાફ કરવાનું કામ, ખેતરનાં નકામા ઉગી નીકળેલ બોરડી ખીજડાને મૂળમાંથી કાઢવાનું કામ, ઉકરડે થી ગાડામાં છાણીયું ખાતર ભરવાનું,ખેતરમાં લઇ જઇ એને દંતાળીથી આખા ખેતરમાં ફેલાવી દેવાનું,
ખેતીના ઓજારને સુથાર પાસે સમાર કરાવવાનું કામ, લુહાર પાસે દાતરડાં, કુહાડી, કોદાળી, ધારીયુ, કોસ વગેરે ને ધાર કઢાવવા વારંવાર જવાનુ. અને ખેતરોને વરસાદ પહેલા ખેડી દેવાનું કામ આ બધુ કરતાં કરતાં ઉનાળો કયાંય જતો રહે અને ચોમાસુ બેસી જાય એની ખબર એને નહોતી રહેતી.
*આજે સવારના દશ વાગ્યાથી એ.સી. માં ભરાઈ જનાર અને એ.સી. કાર માં ફરનાર યુવાનોએ યાદ રાખવાનું છે કે આ તેમના વડવાઓની પરસેવાની કમાણીનું ફળ છે.*
વરસાદ પડયા પછી સારી વરાપ થાય એટલે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ખેતરને ખેડીને વાવણી થાય આ કાર્યમાં રાત અને દિવસ જોયા સિવાય પરસેવો પાડીને કામ કરે. આ સમયે આવતો એક આનંદનો પ્રસંગ કહેવાનું મન થાય છે.
ગામના બે ચાર આગેવાન પટેલો ભાત ઉપાડવાનો દિવસ (હળોતરા) નક્કી કરે. આ દિવસે સવારે બધા પટેલો સાંતી લઈને ખેતરે જાય. ધેર લાપસી, ખીચડી, શાક વગેરે બનાવવાનાં આવે આખા ધરનું ભાતું એક મોટી સૂંડલીમાં ભરવામાં આવે અને ગામની બધી સ્ત્રીઓ વાસ/મહોલ્લાના નાકે નાકે ભેગી થાય. માથે ભાતુ ભરેલી સૂંડલી ભરત ભરેલા રૂમાલથી ઢાંકેલી હોય. પ્રસંગને અનુરૂપ ગીતો ગાતી ગાતી સ્ત્રીઓ ગામના મુખ્ય મારગે થઈને નીકળે સાથે નાના મોટા બાળકો હોય. છોકરીઓના માથે પાણીની નાની માટલી હોય. જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ નાકાની બીજી સ્ત્રીઓ જોડાતી જાય અને ગાતી જાય. બધા એકી સાથે ગાય. ગામના પાદરે બધા ઉભા રહે અને એકાદ બે ગીતો ગાય અને બધા થોડા થોડા સમૂહોમા ખેતરના માર્ગ પ્રમાણે વહેચાઈ જાય અને ગાતા ગાતાં પોતાના ખેતરે જાય.
ખેતરે ખેતરે પરિવાર સમૂહ ભોજન કરે એક પ્રકારનું "વનભોજન" કહેવાય મજા આવી જાય. પણ આ બધામાં પરસેવો પાડીને કમાવવાની વાત કેન્દ્રમાં રહેતી.
આપણા જનમ પહેલાની વાત છે ૧૨૫ વરસના વહાણા વહી ગયા. હાજા ગગડાવી નાંખે અને માણસ માણસને ખાય તેવા દુષ્કાળને પણ પાટીદાર સમાજે પરસેવો પાડીને પેટે પાટા બાંધીને જગતને જીવાડવાનો સંઘર્ષ કર્યો છે. એક જ ગુજરાતનો પાટીદાર સમાજ એવો છે કે કડવા વેણ બોલીને સાચું કહી દે છે. પરસેવાની કમાણી જ તેને મીઠી લાગે છે.
તે વખતે નહોતા બોરવેલ, નહોતા મશીન કે નહોતી સિંચાઈની નહેરો. મોટો નહિં બધો આધાર વરસાદનો હતો. હા ઘણા ખેડૂતો મહેનત કરીને બાવળાના બળથી કાચો કૂવો ગાળીને જાતે વનસ્પતિની સાંઠીઓમાંથી વીંટલાઓ ગૂંથીને પાણી મેળવતા. આ બધું કરવા છતાં પણ ખારું પાણી મળે, તો મહીનાની મહેનત એળે જાતી.
પરસેવાથી રેબઝેબ પટેલ પરીવારની કઠણાઈનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે.
આમ છતાં મરચું રોટલો અને છાસ ખાનાર ખુમારવંતા પટેલે કોઈ દિવસ ભીખ નથી માંગી. વાણિયાના પાસેથી લાવેલ સામગ્રીના પૈસાના વ્યાજનું વ્યાજ પટેલ જ ચૂકવી શકે. અજ્ઞાતતા એટલી બધી કે કાળા અક્ષર ભેંસ બરાબર.
માટીના ગાર અને ઇટના બનેલા ઘર. ઊપર છાપરે માટી પકવી કુંભારે ઘડેલા નળીયા હતા. દરેક ચોમાસા પહેલા છાપરે ચડી સંચવા પડતા.
કાળા અક્ષર ભેંસ બરાબર એવા અભણ. શેઠ તમે લખ્યું તે બરાબર કહેનાર ૯૦% પટેલો દેવાના દરીયામાં ડૂબેલા હતા. તોલમાં ઓછું આપવું અને વધારે લેવાનો અન્યાય પટેલો એ સહન કર્યો છે. તે વખતે ૧૬ પંચા પચાણુ અને પાંચ છૂટના લાવો પટેલ ૧૦૦ પુરા કહીને પટેલને છેતરવામાં આવતો. તો બેસતા વરસના દિવસે શુકન ના નામે પટેલના ઘેર કરીયાણું મુકીને શેઠ જે ભાવ ભરવો હોય તે ભરતા.
આમ છતાં સતત મહેનત પરસેવાની કમાણી અને હાડમારી માંથી નવું નવું શીખીને આ સમાજ ધીરે ધીરે પોતાના બાળકોને સારા સંસ્કાર આપી, ભણાવવા લાગ્યો. એ એની સાચી દિશા હતી.
પાણી ખેંચવાના કોસના વરત ઉપર બેસીને પીહા પડી ગયેલ પાટીદાર સમાજને એટલી ખબર પડી ગઈ હતી, કે બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે. પણ બધાની આ તેવડ ન હોવાથી સાતમા કે ગામમાં જેટલા ધોરણ ચાલતા તેટલા થી સંતોષ માનીને તેમને ખેતી કામમાં પરોવી દેતા.
પટેલની પરિશ્રમની પારકાષ્ટાની પારાયણ નો પાર નથી આવે તેમ. છતાં ગામના તમામ સમાજને (ગોર મહારાજ, લુહાર, સુથાર, હજામ, દરજી, મોચી, રાવળ, સફાઇ કર્મચારી, વગેરેને) બારેમાસ સાચવતો.
ગાયકવાડ સરકારમાં મહેસૂલ ઉધરાવવાનું કામ કરવા માટે ગામના સુખી અને મોભાદાર પટેલને "મુખીની" પદવી આપવામાં આવતી. ગાયકવાડે આ કામ પટેલને જ સોંપેલું. રાજવીઓને કેટલો બધો વિશ્વાસ આ સમાજ ઉપર હતો! કેટલીક વખત કોઈ બીજી કોમ કે જ્ઞાતિમાં આ પદ આપવું પડયું હોય તો તેને પટેલ કહેવાતા!
આમ આ સમાજે ઘણું બધુ આપીને બધાને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કર્યો છે. કદી માંગ્યું નથી. એટલે કહેવાય છેકે કણબી પાછળ કરોડ !
પોતાના બાવડાના બળે પરસેવાની કમાણી કરીને અન્યાય સહન કરીને સમાજે છેલ્લા પચાસ વરસમાં સૌને અચંબામાં નાંખી દે તેવી માં ઉમા ખોડલના આશિષથી હરણફાળ ભરીછે. રોકેટ ગતિથી આગળ વધતા આ સમાજે કેટલીક બાબતોને સાવધાની પૂર્વક લેવાની જરૂર છે. આપણા પાયાના મૂલ્યોને જાળવવાની જરૂર છે.
"મારા દાદા કહેતા, પગે ફાટા પડી જાય પણ આંખે પાણી ન આવે — એ પરસેવાથી મળેલું ભોજન છે. એમાં ગૌરવ છે, શરમ નહીં."
– પરસેવાની કમાણી કરવી
– હરામનું ન લેવું
– બાળકોને શિક્ષણ આપવું
– કુરુવાજોને તિલાંજલિ આપવી
– બાળકોને નાનપણ થી જ પાટીદારનું ગૌરવ સમજાવવું
– પોતાની દીકરીને પાટીદારના ધેર આપવી
– પૈસાની સાથે સાથે સંસ્કારોનું જતન કરવું
– શરાબ અને શબાબથી દૂર રહેવું
– શાકાહારીની ઓળખ ટકાવી રાખવી
– જમીનને બાપદાદા એ સાચવી તેમ આપણે પણ સાચવીએ.
સત્ય બાબતને અહીં કહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરેલો છે.
પટેલ સમાજને અનુલક્ષીને લખેલ આ લેખમાં કોઈ અન્ય જ્ઞાતિઓનું અપમાન કરવાનો ઈરાદો લેશમાત્ર નથી.
(આ લેખમાં કેટલાક તળપદા શબ્દો છે ના સમજાય તો વડીલોને પૂછવા વિનંતી)..
આજે એ પરસેવી વારસો જીવંત કેવી રીતે રાખવો?
1️⃣ શિક્ષણ સાથે પરસેવાનું મહત્વ સમજાવવું
આજના બાળકોએ એક વખત ખેતરમાં પગ મૂકવો જોઈએ, ઘાસ ઉપાડીને માથે મૂકવું જોઈએ, એક વખત દૂધ દોહીને છાસ બનાવવી જોઈએ — જેથી સમજાય કે પોટમાં આવતું ખાવું કેટલા પરસેવામાંથી આવે છે.
2️⃣ ઘરમાં વારસાકીય વાર્તાઓ કહેવી જોઈએ
દરેક પાટીદાર ઘરમાં "પરસેવી વારસાની રાત્રી" રાખો — જેમાં દાદા/પાપા પોતાની બાળ્યાવસ્થાની વાતો કહે, ફક્ત મૂવી નહી, જીવનજમાવટ હોય.
3️⃣ મુલ્યોની યાદદાસ્ત
હરામનું ન લેવું
પડોશીને બરાબર માની જીવવું
કામમાં દુશ્મન પણ આવે તો ઇમાનદારી રાખવી
ઘરમાં ઘી ઓછું હોય, પણ ઝાંખું ન બને
4️⃣ છોકરીઓ-દીકરીઓને પણ આ વારસો સમજાવવો
દિકરી પણ પોતાનું ખાવું પોતે કમાવાનું સમજે. સંસ્કારની દીકરી એ પાટીદારનું મોટું ગૌરવ છે.
📜 જમાનો બદલાય, તો શું પાટીલની ઓળખ પણ બદલાઈ જાય?
બિલ્કુલ નહીં. આ લખ્યું છે – "કણબી પાછળ કરોડ", એ બેટિંગ તો હવે આપણે કરવાનું છે.
આજના પાટીદાર યુવકો/યુવતીઓએ પોતાનું વેલ્થ Instagram પર બતાવવાને બદલે, દાદાના હાથનું છાસ પીતાની તસવીર શેર કરવી જોઈએ. એમાં મોટેરું વેલ્યુ છે.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments