ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી.
ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે .
તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી.
તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મુકી દીધું.
એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.
થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઇ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઇ.
બધા પક્ષી કહેવા લાગ્યા – અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ.
શિખામણ – જે ઉપદેશક પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો જ થાય છે.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments