વીર મહારાણા પ્રતાપ – મેવાડના મહાન રાજપૂત યોદ્ધાની શૂરવીર ગાથા | Veer Maharana Pratap

મેવાડ શિરોમણી વીર મહારાણા પ્રતાપ : ઈતિહાસ વિશે જાણો... મહારાણા પ્રતાપનું જીવન, ચેતકની વીરતા અને હલ્દીઘાટીનું ઐતિહાસિક યુદ્ધ... 1 min


વીર-મહારાણા-પ્રતાપ-–-મેવાડના-મહાન-રાજપૂત-યોદ્ધાની-શૂરવીર-ગાથા

જન્મ :

મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.

શૌર્ય:
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા

81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ:
– મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ રાખતા હોવાની વાતને ઘણા લોકો ખોટી માને છે, કારણ કે એક વ્યક્તિ આટલું વજન ન ઉપાડી શકે.
– જોકે આ વાત સાચી છે ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા.
– આ હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે.
– આ ઉપરાંત મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે.
– આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા.
– આ ગુફામાં પ્રતાપનું એક મંદિર પણ જોવા મળે છે.

30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો:
મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેના નાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા

પ્રજાના પ્રહરી હતા પ્રતાપ:
તેમના પિતા ઉદયસિંહ ના 1572 ના અવસાન પછી તેમના નાના ભાઈ જગમાલ એ દગો કરીને રાજા બની ગયા અને પ્રતાપને રાજય માથી કાઢી નાખ્યા અને અકબર સાથે સંધિ કરી લીધી તેમનુ મંત્રી પરિષદ આ નિર્ણય અને એમના કુર સ્વભાવ થી નારાજ હતા તેથી તે પ્રતાપ પાસે જઈ ને તેમની પાસે રાજ્ય લઈ ને અકબર પાસેથી મુક્ત કરવાની વિનંતી કરી પ્રતાપે તે સમયે તેમની માતા ની સલાહ લઈ ને તેમના ભાઈ પાસેથી ઉદયપુર લઈ લીધું અને તેમને રાજગાદી સંભાળી.

ઘાસ-પાંદડા પર ખાઈને કર્યો ગુજારો:
જંગલમાં ફરતા-ફરતા મહારાણા પ્રતાપને ખુબ દુઃખ વેઠવા પડ્યા. પરંતુ પિતૃભક્તિની ચાહમાં તેણે ઉફ્ફ પણ ન કરી. પૈસાના અભાવમાં અને સેનાના તુટતા મનોબળને પુનર્જીવિત કરવા માટે દાનવીર ભામાશાહએ પોતાનો પુરો ખજાનો સમર્પિત કરી દિધો. તો પણ મહારાણા પ્રતાપે કહ્યુ કે સૈન્ય આવશ્યકતાઓ, સિવાય મને તમારા ખજાનાની એક પાઈ પણ ન જોઈએ. ઘાસ પાંદડા ખાઈને ગુજારો કર્યો. પત્ની તેમજ બાળકોને વિકરાળ પરિસ્થિતિઓમાં પણ પોતાની સાથે રાખતા હોવા છતાં પણ તેમણે ક્યારેય ધૈર્ય ખોયું નથી. કેટલાયે સ્વતંત્રતા સેનાની પોતાના પ્રેરણા સ્ત્રોત મહારાણાનું અનુસરણ કરી સ્વતંત્રતાની બલીવેદી પર હસતા હસતા ચડી ગયા.

શૌર્ય ગાથા…

પોતાની ટેક માટે જાણીતા મહારાણા પ્રતાપનો જન્મ ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી,૧૫૯૭ ના ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. પત્ની નું નામ અજબદે પંવાર અને પુત્રનું નામ અમરસિંહ હતુ. ભાઈઓમાં શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે હતા… જોકે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢમાં થયો હતો.પ્રખ્યાત સતી મીરાંબાઈ મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય. કુંવર ભોજ એ મહારાણા પ્રતાપ ના પિતા ઉદયસિંહ ના મોટા ભાઈ થાય. આ ઉદય સિંહ ના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે.‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ નંબર અપાયેલો છે.આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે.નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું

૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું. મહારાણા પ્રતાપ તેમના પિતાને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં !!! આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથી જ ઓળખાય છે !!!! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર નાઝ કરે છે.

મહારાણા પ્રતાપનો સંધિ પ્રસ્તાવ ઠુકરાવવો અને માનસિહનું અભિયાન

૧૫૭૩ માં, અકબરે ૬ રાજ્નાયાકોને મોકલીને રાણા પ્રતાપને સમર્પણની વાત કરી પરંતુ રાણા પ્રતાપ દર વખતે એમને નકાર્યા !!! છેલ્લી વાર અકબરે પોતાના સાળા અને રાણી જોધાબાઈના ભાઈ માનસિંહને રાણા પ્રતાપ પાસે મોકલ્યા. મહારાણા પ્રતાપ માનસિંહને જોઇને ગુસ્સે થયા અને કહ્યું કે– “એક રાજપૂત તેમના રાજપૂત ભાઇઓ માટે તેમના સમર્પણ વિશે વાત કરે છે” અને રાજા માનસિંહને શરમભેર પાછાં મોકલવામાં આવ્યા .હવે અકબર સમજી ગયો કે મહારાણા પ્રતાપ ક્યારેય સમર્પણ નહીં કરે એટલે જ અકબરે પોતાની સેનાને મેવાડને કચડી નાંખવા માટે તૈયાર કરી !!!!!

૧૫૭૩ માં સંધિની દરખાસ્તોનો ઇનકાર કર્યા પછી અકબરે મેવાડના બાહ્ય રાજ્યો સાથે સંપર્ક તોડ્યો અને મેવાડના સહયોગી દળોને અલગ અલગ કરી નાંખ્યા .જેમાંના કેટલાક મહારાણા પ્રતાપના મિત્ર અને સંબંધીઓ હતા. અકબરે ચિત્તોડના તમામ લોકોને પ્રતાપને સહાય ન કરવાં કહ્યું. અકબરે રાણા પ્રતાપના નાના ભાઈ કુંવર સાગરસિંહને વિજયી ક્ષેત્ર પર રાજ કરવા માટે નિયુક્ત કરી દીધો….પરંતુ સાગરસિંહે પોતાની માતૃભૂમિ સાથે દગો કરવાને બદલે મોગલ દરબારમાં પોતાની જાતને કટાર ભોંકીને પોતાનાં જીવનનો અંત આણી દીધો. રાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ મોગલ લશ્કરમાં હતા અને તેના ભાઇને અકબરના વિચારોથી વાકેફ કર્યા હતાં.

હલ્દીઘાટીનું યુદ્ધ :

૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી.

વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો !!!

ઇ.સ.૧૫૭૯થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.૧૫૮૫માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.

ચેતક :

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

મહારાણા ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા :

આ સમાચાર જયારે અકબર ના દરબાર સુધી પહોંચ્યા ત્યારે અકબર પણ પોતાના સિંહાસન પરથી ઉતર્યા અને પછી પોતાની પાઘડી સિંહાસન પર મુકી, ત્યારે બધા દરબારી ખુશ દેખાતા હતા, અને ખુશી મનાવતા હતા, ત્યારે ફક્ત તાનસેન એક અકબરની સ્થિતિ સમજી શક્યા અને તેણે રાણા પ્રતાપ ના માન આપતા છંદ ગાઈ સંભળાવ્યા, ત્યારે અકબર બોલ્યા કે હવે મારા જીવનનો અર્થ રહેતો નથી, નાનપણમાં એક વાર અનજાન બની અને હું રાણા પ્રતાપ ને મળ્યો હતો અને અમે મિત્રો રહી ચૂક્યા છીએ, તેમના મા એક અલગ જ ઝનૂન હતુ પોતાની માત્રભુમી ખાતર પોતાના પ્રાણ આપવા માટે જરા પણ વિચાર્યા વિના તત્પર થઈ જવું, આજે હું શહેનશાહ અકબર રાણા પ્રતાપ ને શત શત નમન કરુ છું આવા શબ્દો અકબર ના મોં માથી સરી પડ્યા,અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. એક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા.

મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.’ પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.

જય મહારાણા પ્રતાપ..


Discover more from 9Mood

Subscribe to get the latest posts sent to your email.


Like it? Share with your friends!

What's Your Reaction?

Lol Lol
0
Lol
WTF WTF
0
WTF
Cute Cute
0
Cute
Love Love
0
Love
Vomit Vomit
0
Vomit
Cry Cry
0
Cry
Wow Wow
0
Wow
Fail Fail
0
Fail
Angry Angry
0
Angry
Indian Travel Blogger

"Exploring India, One Adventure at a Time!"

Discover the best places to visit across India with my travel guides. Stay tuned for curated recommendations on must-see destinations, hidden gems, and unique experiences!

0 Comments

Leave a Reply

Choose A Format
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Ranked List
Upvote or downvote to decide the best list item
Open List
Submit your own item and vote up for the best submission
Countdown
The Classic Internet Countdowns
Meme
Upload your own images to make custom memes
Poll
Voting to make decisions or determine opinions
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
is avocado good for breakfast? Sustainability Tips for Living Green Daily Photos Taken At Right Moment